Wednesday, April 30, 2014

Gujarat Voting 2014 Elections

Here are the voting percentage of Gujarat 2014 Loksabha Election. Constituency wise.

 Jamnagar registedred around 60% voting.



Bhavnagar 54.11%
Gandhinagar 52.10%
Surendranagar 47%
 Jamnagar 59.22%
Junagadh 55.99%
 Amreli 49%
 Anand 59.53l
Kheda 55.76%
 Dahod 59.02%
Surat 58.84%
 Vadodra 72%
 Chotaudepur 53%
 Navsari 65.04%
Valsad 66%
 Kutch 53.17%
Banskantha 61%
Patan 51.25%
 Mahesana 60.84%
 Panchmahal 56.11%
 Bharuch 66%
Porbandar 43.64%
 Sabarkantha 63%
 Ahemedabad purva 57%
 Ahemedabad paschim 53%
Bardoli 67.61 %
Rajkot 51.74
Div-daman 76.86%
Dadranagar haveli 81%

Friday, April 25, 2014

બાળક...


બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.

પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ?

આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :

[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.

[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.

[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.

[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.

[5] બાળકને વિચારવાનો સમય આપો : બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.

[6] ઘર્ષણ ટાળો : બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’

[7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો : બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.

[8] તમારા જૂના દિવસોને યાદ કરો : તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.

[9] પોતાની જાત માટે થોડો સમય કાઢો : જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે

Saturday, April 5, 2014

ઈમાનદારી જરુર થી રંગ લાવે છે !!

ઘણાં બધાં વરસો પહેલાંની આ વાત છે. પૂર્વ એશિયાના કોઈક દેશમાં એક સમ્રાટ રાજ્ય કરતો હતો. જ્યારે એ ઘરડો થવા આવ્યો ત્યારે એને થયું કે હવે નવો રાજા પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એની ઈચ્છા હતી કે એવો રાજા પસંદ કરવો કે જે સામ્રાજ્યને તો બરાબર સાચવી જ શકે, સાથોસાથ લોકોનું પણ બરાબર ધ્યાન રાખે. એને પોતાના રાજકુમારો કે સગાંવહાલાંમાં કોઈમાં એવાં લક્ષણો ન દેખાયાં, એટલે એણે રાજ્યના બધા જ નવયુવાનોને એક ખાસ દિવસે સભામાં ઉપસ્થિત રહેવા માટે ઢંઢેરો પીટાવ્યો.
એ દિવસ આવી પહોંચ્યો. રાજમહેલના મેદાનમાં આખા રાજ્યના યુવાનોની ખાસ્સી ભીડ એકઠી થઈ હતી. રાજાના ખુદના રાજકુમારો પણ નિરાશ વદને હાજર હતા. સમય થયો એટલે રાજા આવ્યો. ભીડને સંબોધીને એણે કહ્યું, ‘હવે તમારામાંથી જ એક નવો રાજા પસંદ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ એ માટે તમારે સૌએ એક નાનકડી પરીક્ષા પસાર કરવાની છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિને એક બીજ આપવામાં આવશે. એ બીજને તમારે સૌએ ઘરે જઈને કૂંડામાં વાવી દેવાનું છે અને એમાંથી જે છોડ ઊગે તેની આવતા એક વરસ સુધી કાળજી લેવાની છે. એક વરસ પછી આજના જ દિવસે પોતપોતાના છોડનાં કૂંડાં સાથે અહીં હાજર થવાનું છે. છોડની તમે કરેલી દેખભાળ તેમ જ એની તમે લીધેલી કાળજી પરથી હું એ નક્કી કરીશ કે તમારામાંથી કોણ રાજ્યની બરાબર કાળજી રાખી શકશે અને એ બાબતમાં જે વ્યક્તિ મને સૌથી વધારે યોગ્ય લાગશે એ જ તમારો નવો રાજા બનશે !’
એ પછી બધા યુવાનોને એક એક બીજ આપવામાં આવ્યું. એ દિવસે ઝિંગ નામનો એક યુવાન પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચેલો. બધાની જોડાજોડ એને પણ એક બીજ આપવામાં આવ્યું. ઝિંગે ઘરે જઈને પોતાની માને બધી વાત કરી. એની માતાએ એક કૂંડામાં એને માટી ભરી આપી. મા-દીકરાએ એ કૂંડામાં પેલું બીજ વાવી દીધું. એ પછી બંને જણ કૂંડાની બરાબર કાળજી લેવા માંડ્યાં. નિયમિતપણે પાણી પીવડાવી એ લોકો બીજમાંથી કોંટો ફૂટવાની રાહ જોવા માંડ્યા. એક અઠવાડિયું, બે અઠવાડિયાં એમ કરતા કરતા પાંચેક અઠવાડિયાં પસાર થઈ ગયાં. આજુબાજુના અને એ જ ગામના બીજા યુવાનો પોતપોતાના કૂંડામાં ઊછરી રહેલા છોડ અંગે વાતો કરવા માંડ્યા. ઝિંગ વારંવાર પોતાનું કૂંડું જોઈ લેતો, પરંતુ એમાં કંઈ પણ ઊગેલું નહીં જોતાં નિરાશ થઈ જતો. છતાં ધીરજપૂર્વક એ પાણી પીવડાવ્યા કરતો.
એમ ને એમ થોડા મહિના પસાર થઈ ગયા. હવે તો કોનો છોડ કેટલા ફૂટનો થયો, ફલાણા ગામના યુવાનના કૂંડામાં તો બે ફૂટનો છોડ થઈ ગયો. ફલાણાના છોડનાં પાંદડાં ખૂબ જ ઘાટાં લીલાં રંગનાં થયાં છે વગેરે વગેરે વાતો ગામમાં થયા કરતી, પરંતુ ઝિંગના કૂંડામાં વાવેલું બીજ છોડ બનવાનું તો બાજુમાં રહ્યું, એક નાનકડો કોંટો પણ નહોતું કાઢતું ! તો પણ ઝિંગ પૂરતી લગનથી એના કૂંડામાં પાણી સિંચ્યા કરતો.
વરસ પૂરું થયું. રાજાના મહેલમાં બધાને પોતપોતાના છોડ સાથે હાજર થવાનું ફરમાન બહાર પડી ગયું. રાજ્યનો દરેક યુવાન કાળજીપૂર્વક પોતાનાં કૂંડા અને છોડ સાથે મહેલના મેદાનમાં પહોંચી ગયો. પોતાનું ખાલી કૂંડું લઈને જવાની ઝિંગની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ એની માતાએ પરાણે એને ધકેલ્યો. એણે કહ્યું કે, ‘બેટા ! છોડ ન ઊગ્યો તો કાંઈ નહીં, તેં કાળજીપૂર્વક એને વાવ્યો તો છે ને ? આખું વરસ એને ધીરજપૂર્વક પાણી તો પીવડાવ્યું જ છે ને ? તો એ ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયત્ન માટે પણ જવું જ જોઈએ.’ માતાના આગ્રહને વશ થઈને ઝિંગ રાજમહેલના મેદાનમાં પહોંચ્યો. ત્યાંનું દશ્ય જોઈને એ દંગ રહી ગયો. બાકીના બધા યુવાનોના છોડવાઓને કારણે એ મેદાનમાં જાણે નાનકડું જંગલ ઊભું થઈ ગયું હોય તેવું લાગતું હતું. એ જોઈને ઝિંગને મનોમન બીક લાગી, કારણ કે આખા જ મેદાનમાં એનું એકનું કૂંડું જ સાવ ખાલી હતું. ધીમા પગલે એ પાછો હટવા માંડ્યો. મેદાનના છેડે પહોંચીને ત્યાંથી ગુપચુપ ઘરે ભાગી જવાનો એનો વિચાર હતો, પરંતુ એ મેદાનને છેવાડે પહોંચ્યો એ વખતે જ રાજા ત્યાં આવી પહોંચ્યો. એના કારણે ઝિંગ ભાગી ન શક્યો. એને ત્યાં જ અટકી જવું પડ્યું. ધડકતા હૃદયે એ સૌથી છેલ્લે છુપાઈને ઊભો રહી ગયો.
રાજાએ ધ્યાનથી દરેકના છોડને જોવાનું શરૂ કર્યું. રાજા છેલ્લે પહોંચ્યો. ઝિંગની ઈચ્છા નહોતી કે પોતાનું ખાલી કૂંડું રાજાની નજરે પડે. એણે પોતાનું કૂંડું સંતાડવાની કોશિશ કરી, પરંતુ રાજાનું ધ્યાન એના પર પડી ગયું. એણે ઝિંગનું કૂંડું ખાલી જોઈ એણે બરાબર પાણી પીવડાવ્યું હતું કે નહીં એવું પૂછ્યું. ઝિંગે બીતાં બીતાં હા પાડી. રાજાએ પાછા ફરતા સૈનિકોને આદેશ આપ્યો કે ઝિંગને આગળ મંચ પર લાવવામાં આવે. ઝિંગના મોતિયા મરી ગયા. છોડ ઉગાડવાની નિષ્ફળતાની હવે સજા મળશે એવો એને ધ્રાસ્કો પડ્યો, પરંતુ આ તો રાજાનું ફરમાન હતું એટલે પાલન કર્યા વિના પણ છૂટકો નહોતો. ચૂપચાપ, નીચી મૂંડીએ ઝિંગ બધાની આગળ મંચ પર પહોંચ્યો. રાજાએ એનું નામ પૂછ્યું. ઝિંગે પોતાનું નામ બતાવ્યું. એનું ખાલી કૂંડું જોઈને બધા હસતા હતા. રાજાએ બધાને શાંત રહેવા ઈશારો કર્યો. બધા શાંત થયા. એ જ વખતે છડીદારે છડી પોકારી, ‘બધા હોશિયાર ! તમારા નવા રાજા ઝિંગનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ !’
બધાને આંચકો લાગ્યો, અરે ! ખુદ ઝિંગને પણ અત્યંત નવાઈ લાગી. સભામાં ચણભણ થવા લાગી કે, ‘એનું કૂંડું તો સાવ ખાલી છે !’, ‘મારો છોડ તો સાડાચાર ફૂટનો છે, સૌથી ઊંચો !’, ‘મારો છોડ ચાર ફૂટનો છે, પરંતુ એનાં પાંદડાં તો જુઓ, એટલો ઘાટો લીલો રંગ છે કોઈના પાંદડાનો ?’ વગેરે, વગેરે !
રાજા સમજી ગયો. એણે બધાને શાંત રહેવાનો ઈશારો કરી કહ્યું : ‘આજથી બરાબર એક વરસ પહેલાં મેં તમને બધાને એક એક બીજ આપ્યું હતું. તમે સૌ એને વાવી, બરાબર કાળજી લઈ એક વરસ પછી આવજો એવું પણ કહ્યું હતું, પરંતુ રાજ્ય તરફથી આપવામાં આવેલાં એ બધાં જ બીજ શેકેલાં હતાં. શેકેલ બીજ ભલા કઈ રીતે ઊગી શકે ? તમારા બધાનાં કૂંડામાં તો મોટા ચાર ચાર ફૂટના છોડ બની ગયા છે ! ઝિંગ એક જ એવો પ્રામાણિક યુવાન છે જેણે ખાલી કૂંડું અહીં સુધી લાવવાની હિંમત દેખાડી છે. બાકીના તમે સૌએ રાજ્યના આપેલા બીજમાંથી થોડા દિવસમાં છોડ ન ઊગ્યો એટલે એવું જ બીજ ઘરમાંથી લઈને વાવી દીધું છે. ઝિંગ એક જ એવો યુવાન છે જે રાજ્યનું બીજ જેવું હતું એવું જ સાચવીને લાવ્યો છે. એની આ પ્રામાણિકતા અને હિંમત આપણા રાજ્યને ઘણી સમૃદ્ધિ અપાવશે. માટે તમે સૌ હવે ચૂપ થઈ જાઓ અને નમન કરો તમારા નવા સમ્રાટને !’
હાજર રહેલા દરેકને એમ કર્યા વગર હવે છૂટકો પણ નહોતો જ ! બધા એનું અભિવાદન કરતા નમીને ઊભા રહ્યા !

10 Home Care Tips

[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.

[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.

[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.

[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.

[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

[7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.

[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.

[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.

[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.

Friday, April 4, 2014

ધૂમ ખરીદી - dhoomkharidi.com

 
ધૂમ ખરીદી , તમે આ વેબ સાઈટ નું નામ સાંભળ્યું છે, ગુજરાતી પુસ્તક વાંચક આ પોસ્ટ જરૂર વાંચે


ધૂમ ખરીદી , આ નામ સાંભળી ને પેહલા તો થયું કે કોઈ ગુજરાતી બ્લોગ હશે, જે કાળક્રમે એના ચરમ શ્વાસ પર પહોચી જશે.

થોડા સમય બાદ http://www.dhoomkharidi.com ના સારા સારા review વાંચ્યા, અને એ સમય માં જ જામનગર માં મારા પિતાજી એ નવી બુક્સ ખરીદવી છે એવું કહ્યું,

હું એ સમયે જામનગર માં જ હતો (આમ હું ભારત બહાર રહું છું ), અને જામનગર ના ત્રણ ખ્યાતનામ પુસ્તક વિક્રેતા ઓ એ મને કહ્યું કે આ પુસ્તક તેમની પાસે નથી. એક નાના વિક્રેતા એ મને Stock ના હોવાનું સસ્તું બહાનું પણ આપ્યું, જે પુસ્તક હું શોધી રહ્યો હતો તે ગુજરાતી ની બેસ્ટ સેલર પુસ્તક માં ની એક છ્હે। અને નામ છે મેલુહા , નાગ્વંશ અને  વાયુપુત્રો ના શપથ.

થોડા સમય બાદ હું વતન થી પરત આવ્યો, અને http://www.dhoomkharidi.com પર આ ત્રણેય પુસ્તક નો સેટ discount માં જોયો, તુરંત જ વેબ સાઈટ પર register કરી અને Order કરી દીધો।

Order દીધા પછી મને એમ કે હું અઠવાડિયા પછી પૃછા કરીશ, બે રાત્રે પરવારી ને ઘરે (ભારત) ફોન કર્યો અને કહ્યું કે આ પુસ્તકો આવે તો જરા જો જો કે એનું Packing કેવું છે અને પુસ્તક કેવા છે. ત્યારે ખબર પડી કે પુસ્તક તો સવારે જ પહોચી ગયેલ છે. સુખદ આંચકો લાગ્યો। પછી હાલ માં જ ફરી જામનગર જવા નું થયું ત્યારે જાતેજ પુસ્તક ની condition વગેરે જોઈ. આજે મેં ફરી 8-10 પુસ્તક નો Order આપી દીધો,

ગુજરાતી પુસ્તકો ના વાંચક હજુ છે જ.  મારા જેવા અનેક વાંચકો અને તેમના પરિવાર જનો ને વાંચવા નો શોખ ગળથૂથીમાં થી જ મળતો હોય છે. આવા સર્વે મિત્રો ને વિનંતી કે એક વાર http://www.dhoomkharidi.comજોયી લેવી।

હવે તો http://www.dhoomkharidi.com માં Deal , સ્પાં અને બીજી ઘણી સુવિધા પણ મળે છે. ગુજરાત માં જ Manage થતી હોવાથી WhatsApp (+91 7405479678) પર 24 X 7 support પણ મળે છે.

સમસ્ત ગુજરાતી સમજે આ સુવિધા નો લાભ લેવો જોઈએ


Wednesday, April 2, 2014

Jamnagar : New Home for Amul

Jamnagar the jewel of Kathiawar, is a well known industry location across the world.

And soon Jamnagar will start contributing biggest Indian brand for India, Amul.

Yes, after consolidating the district milk union of Porbandar, Gujarat Co-operative Milk Marketing Federation (GCMMF) is all set to get Jamnagar under her wings.

In near future, Jamnagar milk union will be under its Amul brand.

Jamnagar's milk union was last for Amul, after this all the district dairy unions of Gujarat will be under the apex body of the GCMMF, covering all the regions of Gujarat.

Jamnagar district will become 19th member union of milk union.

Six dairy unions of Saurashtra and Kutch collectively procuring an average of 17 lakh litres milk per day.

Jamnagar is contributing 2 lakh litres milk per day in Jamnagar.

Saurashtra will register 15 to 20% of volume increment in next 10 years.

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...