Friday, March 14, 2014

આજીનોમોટો - આડઅસર

રીસેપ્શનની સીઝન ચાઈનીઝ અને આજીનો મોટો :

કમુરતા પછી ધોધમાર વરસાદ વચ્ચે પરણતા ગુજ્જુ વરરાજાઓનો શ્રાવણીયા તડકાની જેમ ઉઘાડ નીકળ્યો છે. કંકોત્રી મળે ને અંગત હોય એટલે જમવા તો જવું જ પડે. ને જમવામાં પહેલું જ કાઉન્ટર હોય સૂપ નું. આખી જિંદગી વિસનગર થી આગળના ગયો હોય ને ભાયડા એ રાખ્યો હોય hot and sour સૂપ.

ડબ્બલ સીઝનમાં આ સૂપ તમને ડોક્ટરના પગથીયા ઘસતા કરી દે એમાં ભૂલ નઈ...ભૂખ લગાડવાનું કામ કરનાર સૂપમાં સફેદ રંગનો ચમકતો દેખાતો મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે આજીનોમોટો નાખવામાં આવે છે.

જે એક સોડિયમ સૉલ્ટ છે. જો તમે ચાઇનીઝ ડિશના દીવાના છો તો તેમાં તમને આજીનોમોટો અચૂક મળશે કારણ કે તેનો ઉપયોગ એક મસાલા તરીકે થાય છે. પણ કદાચ જ તમને ખબર હશે કે ભોજનનો સ્વાદ વધારનાર આ મસાલો સ્વાસ્થ્ય માટે બહુ ખતરનાક હોય છે.

જાણીએ તેની આડઅસર વિષે :
==================

1. આજીનોમોટોના સેવનથી માથાનો દુખાવો, પરસેવો વળવો અને ચક્કર આવવા જેવી જોખમી બીમારીઓ થઇ શકે છે. જો તમે તેના આદી થઇ ચૂક્યા છો અને ખાવામાં તેનો પુષ્કળ પ્રયોગ કરો છો તેનાથી તમારું બ્રેન ડેમેજ થઇ શકે છે.

2. તે ખાવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાઇ શકે છે, ચહેરા પર સોજો આવી શકે છે અને ત્વચામાં ખેંચાણ અનુભવાય છે.

3. તેના વધારે પડતા પ્રયોગથી ધીમે-ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને આળસનો જન્મ થાય છે. તેનાથી શરદી-તાવ અને થાકનો પણ અહેસાસ થવા લાગે છે. તેમાં રહેલ એસિડ સામગ્રીઓને કારણે તે પેટ અને ગળામાં બળતરા સર્જી શકે છે.

4. પેટના નીચેના ભાગમાં પીડા, ઉલ્ટી થવી અને ડાયેરિયા વગેરે
તેના કેટલાંક દુષ્પ્રભાવો છે.

5. આજીનોમોટ તમારા પગના સ્નાયુઓ અને ઘૂંટણમાં દર્દ પેદા કરે છે. તે હાડકાને નબળા બનાવે છે અને શરીર દ્વારા જેટલું કેલ્શિયમ લેવામાં આવ્યું હોય તેને ઓછું કરી દે છે.

6. બ્લડ પ્રેશરની સમસ્યાઓથી ઘેરાયેલા લોકોએ તો આનું સેવન
કરવું જ ન જોઇએ કારણ કે તેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી-
ઘટી જાય છે.

7. વ્યક્તિઓને આનાથી માઇગ્રેન જેવી માથાની ભયાનક બીમારી પણ થઇ શકે છે. જો તમારા માથામાં દર્દ થતો હોય તો તુરંત જ તે ખાવાનું બંધ કરી દો.

No comments:

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...