Friday, February 28, 2014

મુખ ની દુર્ગંધ

મુખ ની દુર્ગંધ નાં મુખ્ય કારણૉ અને તેના ઉપચાર
આપણે જાણીએ છીએ કે 'મુખમાંથી દુર્ગંધ આવવી' એ એક એવી વિકૃતિ છે કે, જેનું વ્યક્તિને સ્વયં જ્ઞાન નથી હોતું, પરંતુ તેની પાસે બેસનાર અથવા તેની સાથે વાતચીત કરનાર વ્યક્તિને તેની અનુભૂતિ તરત જ થઈ જાય છે. મુખ દુર્ગંધથી પીડાતી વ્યક્તિ સાથે વાતચીત કરતી બીજી કોઈ પણ વ્યક્તિને અત્યંત ખરાબ અનુભવ થાય છે. પતિ-પત્નીમાં પણ આ વિકૃતથી જો કોઈ પણ એક પીડિત હોય તો નિશ્ચિતરૂપે તેમની વચ્ચેના પ્રેમમાં ઊણપ આવે છે.

કારણો :

મુખમાંથી દુર્ગંધ આવવાનાં ઘણાં કારણો હોય છે. સૌથી મહત્ત્વનું કારણ છે, અસ્વચ્છતા. મુખની અસ્વચ્છતાના કારણે મુખમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે જે મુખ દુર્ગંધનું કારણ બને છે. દાંત ઉપર જામેલો મેલ, દાંતની કુદરતી ચમકને નુકસાન પહોંચાડવાની સાથે પેઢા, મસૂડાને પણ કમજોર બનાવે છે અને આ કમજોર પેઢા જીવાણુઓનું ઘર બને છે. ભોજન કર્યા પછી મુખને બરાબર સ્વચ્છ ન કરવાથી આહારના સૂક્ષ્મ કણો તેમાં ભરાઈ રહે છે અને તેના સડવાથી પણ દુર્ગંધ ઉત્પન્ન થાય છે. આ સિવાય કબજિયાત, પાચનતંત્રની ગરબડ, રક્તની દુષ્ટિ, મુખ, ગળા અને નાકના રોગો વગેરેના કારણે પણ આ વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે.

ઉપચાર :

* મુખ અને શ્વાસમાં દુર્ગંધ આવી રહી છે એવું જણાય ત્યારે સૌ પ્રથમ તેની પાછળનાં મૂળ કારણને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ કારણને શોધીને તેને દૂર કરવાથી મુખ દુર્ગંધ સરળતાથી દૂર થઈ શકે છે. જો કારણ ન મળતું હોય તો યથાશક્ય મુખ, દાંત, જીભ, અન્નમાર્ગને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.

* મુખને સ્વચ્છ રાખવા માટે સવારે ઊઠયા બાદ સ્વચ્છ પાણીથી વારંવાર મુખ સાફ કરવું જોઈએ. દાંતોને દૃઢ રાખવા માટે પાણીમાં સિંધાલૂણ મેળવીને કોગળા કરવા જોઈએ. જો દાંત ઉપર મેલ જામી ગયો હોય તો તેને દૂર કરવા માટે સ્વચ્છ પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી તેનાથી મુખશુદ્ધિ કરવી જોઈએ. લીંબુની ખટાશથી દાંત પરનો મેલ સરળતાથી દૂર થઈ જાય છે.

* જો દાંત કમજોર હોય અને હલતા હોય તો સરસવના તેલમાં થોડું નમક મેળવીને આ દ્રવને થોડો સમય મુખમાં ભરી રાખી, કાઢી નાખવું. આ રીતે દરરોજ કરવાથી દાંતોના અનેક પ્રકારના રોગોમાં લાભ થાય છે. દાંત ચમકદાર બને છે તથા મુખની દુર્ગંધ ઓછી થાય છે. આ રીતે મુખને સ્વચ્છ કર્યા પછી દાતણ, દંતમંજન વગેરેથી મુખને સાફ કરવું જોઈએ.

* જો મુખ દુર્ગંધનું મુખ્ય કારણ આંતરડાં કે પેટની ગરબડ હોય તો હંમેશાં સાદો, સરળ અને સંતુલિત આહાર લેવો. કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડા થોડા સમયે હળવો રેચ-જુલાબ લઈ પેટ સાફ રાખવું.

* મુખ દુર્ગંધની અધિકતા હોય તો અજમો અને નાગર મોથનું સરખા ભાગે બનાવેલું અડધી ચમચી ચૂર્ણ રોજ સવારે થોડા દિવસ લેવું.

* શાહ જીરું આશરે પાંચ ગ્રામ જેટલું થોડા દિવસ નિયમિત લેવાથી પણ મુખ દુર્ગંધનો નાશ થાય છે.

* જેઠી મધ અથવા નાની એલચી અથવા લવિંગ ચાવતા રહેવાથી મુખની દુર્ગંધ દૂર થાય.

* એક ચમચી જેટલી હળદર નવશેકા પાણીમાં મેળવીને તેનાથી મુખશુદ્ધિ કરવાથી દાંતોમાં સડો અને જીવાણુઓના કારણે ઉત્પન્ન થતી દુર્ગંધનો નાશ થાય છે.

અહીં આપવામાં આવેલા આ સરળ ઉપચારો નિયમિત કરવાથી મુખ દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. જો કોઈ પણ કારણથી મુખ દુર્ગંધ દૂર ન થતી હોય તો નિષ્ણાતની સલાહ લેવી.

Tuesday, February 25, 2014

Jamnagar: Reliance JIO 4G Service - Coming Soon

Jamnagar: Reliance JIO 4G Service - Coming Soon: Reliance Industry's Telecom division, Reliance JIO (RJIL) is all sat for launch of its 4G services by September. Reliance JIO will ...

Wednesday, February 19, 2014

એક વળગણ, એક હું,

આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

સહેલ

Monday, February 17, 2014

YHAI - 2014 Programmes

Forthcoming Adventure Programmes - 2014
Experience Adventure with YHAI
National Himalayan Trekking Expedition- Sar Pass
11 Days Trek, (May-June) Join @ Rs.3950 per member
National Himalayan Trekking Expedition- Chanderkhani Pass (New Route)
10 Days Trek, (April-May) Join @ Rs.3800 per member
National Heritage Trek-2014 , J&K
7 Days Trek, (May) Join @ Rs.4500 per member
 National Himalayan Nature Study cum Trekking Expedition- Dobhi
8 Days, (April-May) Join @ Rs.3000 per member
National Himalayan Nature Study cum Trekking Expedition- Dalhousie
6 Days, (April-May) Join @ Rs.3000 per member
National Family Camping - 2014
4 Nights/ 5 Days (April-June) Join @ Rs.4200 per family
 National Himalayan Mountain Biking Expedition- Jalori Pass
8 Days, (April-June) Join @ Rs.3000 per member
Apply Online

Log on to www.yhaindia.org for online booking of −
  • Trekking Programmes,
  • Membership
  • Youth Hostel Booking (India & abroad)

જિંદગી અને તમે !

જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[]  જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર ભગવાનને માટે એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય.. જે સાવ બેકાર હોય.
[] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ
.
 

Friday, February 14, 2014

આજના તરુણોની દુનિયા

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

સોક્રેટિસે આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં લખેલું, 'આજના જુવાનિયાઓ કેવળ મજા જ કરી જાણે છે. એમની વર્તણૂકનાં ઠેકાણાં નથી હોતાં. એ મોટેરાઓને માન આપતા શીખ્યાં નથી. એમને કેવળ વાતોનાં વડાં જ કરતાં આવડે છે. એમને એમની જવાબદારીઓનું કંઈ જ ભાન હોતું નથી. એમનો વડીલો સાથેનો વ્યવહાર ઉદ્ધતાઈથી ભરેલો હોય છે. એમને કેવળ ખાણીપીણી અને ઉજવણીઓમાં જ રસ હોય છે. દરેક જુવાન એના માબાપ માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે.'
આજે સમય બદલાયો છે, પણ લાગે છે કે આજના યુવાનોને પણ આ વર્ણન એટલું જ લાગુ પાડી શકાય છે. સૈકાઓ પછી પરિસ્થિતિમાં કંઈ ખાસ ફેરફાર થયેલો જણાતો નથી. આજે પણ તરુણો અને યુવાનો એમના માબાપને તોબા પોકરાવતા જ હોય છે. જો કે સદીઓ અને વર્ષોના વીતવા છતાં યુવાનો ભલે ન બદલાયા હોય, એવા ને એવા જ રહ્યા હોય, એક વાત નક્કી છે કે લોકો જે દુનિયામાં રહે છે એ એવી ને એવી રહી નથી.
એમાં ઘણો બદલાવ આવ્યો છે.
તરુણ વયનાં સંતાન સાથે કંઈ વાધો પડે તો તરત જ આપણે આપાણા જૂના દિવસોને યાદ કરીએ છીએ. દરેક માબાપના મોઢે એક કથન તો અચૂક જ સાંભળવા મળે છે કે, 'અમે તમારી ઉંમરના હતા ત્યારે સાવ આવા નહોતા. અમારો જમાનો પણ તમારા કરતાં જૂદો હતો.' પણ હકીકત એ છે કે સમય આપણો જૂદો નહોતો, એમનો સમય બદલાયો છે. માબાપ તરીકે આપણે આપણા તરુણ અને યુવાન સંતાનોના સમયનું સાચું મૂલ્યાંકન કરતા નથી અને એમને ખોટેખોટો દોષ આપીએ છીએ. આજની પેઢી ઘણા પડકારોનો સામનો કરી રહી છે. જે સાનુકૂળતાઓ વચ્ચે ગઈ સદીના પચાસ, સાઠ અને સિતેરના દાયકાની પેઢીઓનો ઉછેર થયો છે. એ આજની નવી પેઢીના નસીબમાં નથી.
કુટુંબ જીવનનું બદલાયેલું કલેવર
અગાઉ આપણને સંયુકત કુટુંબની ભાવના અને છત્રછાયામાં ઊછેરવાનો મોકો મળેલો. આપણું કુટુંબજીવન હુંફાળું અને આત્મીયતાથી ભરેલું હતું. વારતહેવારોએ અને કૌટુંબિક પ્રસંગોએ આપણને સૌને મળવાનો અને એકઠા થવાનો મોકો મળતો. ત્યારનો વાહનવ્યવહાર આટલો સુગમ નહોતો. છતાં આપણા સંબંધીઓ એટલા નજીકના અંતરે રહેતા કે કૌટુંબિક મેળાવડાઓ ઘરમાં ભીડભાડ અને ધમાચકડીથી યાદગાર બની જતા. આપણા વડીલો સાચા અર્થમાં પ્રેમાળ હતા. દાદા કે દાદીની વહાલની બચીઓ આપણા ગાલમાં ગલગલિયાં પેદા કરતી. એક છત નીચે રહેનારું અને એક રસોડે જમનારું કુટુંબ તો વિશાળ હતું જ, ઉપરાંત મામા, માસી, કાકા, ફોઈ એ સઘળાં પણ આપણાથી ઘણે છેટે રહેતા હોવા છતાં એમની હૂંફનો આપણને સતત અનુભવ થતો. આપણુ આખેઆખું વેકેશન ઘણા રંગેચંગે મોસાળમાં વીતતું.
કમનસીબ આજે સંયુકત કુટુંબની ભાવના મરી પરવારી છે. કુટુંબમાં અંદરોઅંદરના સંબંધો પાંખા અને સ્પર્ધાત્મક બની ગયા છે. દાદાદાદી ખોવાઈ ગયા છે. વાહનવ્યવહારની અને સંદેશવ્યવહારની સુવિધાઓ જરૂર વધી છે, પણ લોકોની વચ્ચેનાં ભૌગોલિક અંતરો એટલાં બધાં વધી ગયાં છે કે કુટુંબના લગ્નપ્રસંગમાં ઘરે ઘરેથી માંડ એકાદ જણ જ હાજરી આપી શકે છે. પ્રસંગોની ઝાકઝમાળ અને તેના ખર્ચાઓ જરૂર વધ્યા છે. પણ તેમાં હાજરી આપનાર દરેક જણ માત્ર ઔપચારિકતા જ નિભાવતો હોય છે. સંબંધોમાંથી હૂંફ અને આત્મીયતા કયારનાય વિદાય લઈ ચૂકયા છે.
આજના માબાપને વિભકત કુટુંબમાં એકલા હાથે બાળક ઉછેરવું પડે છે. માતા પણ વ્યવસાયી બની ચૂકી છે. બાળકના ઉછેરના પડકારો વધ્યા છે, સામે પક્ષે માબાપને એમના બાળઉછેરના કામમાં વડીલોનું માર્ગદર્શન મળતું બંધ થઈ ગયું છે. પરિણામે આજની નવી પેઢીનો કૌટુંબિક અને સામાજિક આધાર તૂટી ગયો છે. એમને ટી.વી.નાં પાત્રોનો જેટલો પરિચય છે એટલો પોતાના પાડોશીઓનો રહ્યો નથી. સોસાયટી ક્લ્ચરના આજના સમયનું ડહાપણ એવું શીખવાડે છે કે કોઈએ કોઈના કામમાં માથું મારવું જોઈએ નહીં. પરિણામે તમારા કુટુંબની આપતિના સમયે તમારો પડખે આવીને ઊભો રહેતો નથી. કુટુંબને તોડી નાખનારી કોઈ સમસ્યા ખડી થાય તો પડોશીને એની ગંધ સુદ્ધાં આવતી નથી.
સોસાયટીઓનાં મોંઘાંદાટ મકાનોમાં પડોશીઓથી વિખૂટૂં પડેલું આપણું સંતાન ટી.વી અને નેટની સોશ્યલ સાઈટ્સનો સંગાથ શોધે એમાં કશી નવાઈ નથી. એ વાસ્તવિક સંબંધોને છોડીને કાલ્પનિક સંબંધોને રાચતું થઈ ગયું છે. પરિણામે સમાજશાસ્ત્રીઓના મતે આજે સુખસુવિધાઓ અને ભૌતિક સંપતિ જરૂર વધ્યા છે, પણ આજનો માનવી સંબંધોની દરિદ્રતા વચ્ચે જીવતો થયો છે. આજની યુવાન પેઢી માબાપ, કુટુંબીજનો, કૌટુંબિક પરંપરાઓ, સંસ્કૃતિ, શાળા, સંસ્થાઓ અને દુનિયાથી સાવ અલગ અને એકલી પડીને જીવતી થઈ ગઈ છે. એનો સામાજિક આધાર તૂટી ગયો છે. એના માબાપ એકલા પડી ગયા છે.
મમ્મી-પપ્પા એમની નોકરી વ્યવસાયમાં વ્યસ્ત છે. પડોશીઓ એમના માટે અજાણ્યા બની ચૂકયા છે. સગાંસંબંધીઓ સઘળા દૂર દૂર વસે છે. પરિણામે આજનો યુવાન મિત્રોની સંગતમાં વધારે સમય ગાળતો થયો છે. એ પોતાના સઘળા નિર્ણયો જાતે જ લેતો થઈ ગયો છે. ગર્લ ફ્રેન્ડ, ઘરનો બેડરૂમ, સેકસ, પપ્પાની કાર અને શરાબ એને હાથવગાં થઈ ગયાં છે. એ સારું કામ કરે કે ખરાબ, કોઈને એની ગંધ સરખી આવતી નથી. એનો સમય આપણા સમય કરતાં ઘણો બદલાઈ ચૂકયો છે !
બાળકો હવે પહેલાં જેવાં નિર્દોષ રહ્યાં નથી !
આપણે માહિતી વિસ્ફોટના સમયમાં જીવી રહ્યા છીએ. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ચકાચૌંધ વિકાસે આજની પેઢીને પર્સનલ કોમ્પ્યુટર, સેલફોન, ફેકસ મશીન, ઇમેલ અને ઇન્ટનેટની ભેટ ધરી છે. આપણા કરતાં આ પેઢી અનેકગણી સ્માર્ટ અને માહિતીપ્રચૂર બની ગઈ છે. ટી.વી.એ આખી દુનિયાને આપણા દિવાનખાનામાં આણી દીઘી છે. દુનિયાના ખૂણે ખૂણે બનતી ઘટનાઓને આજનો યુવાન કંઈક અજાયબ કુતૂહલથી જુએ છે. ટી.વી. ના કાર્યક્રમો વર્તન વ્યવહાર, સંસ્કૃતિ અને પરંપરાગત સંસ્કારોના સિમાડા ઓળંગી ચૂકયા છે.
આજે નૈતિકતાની વ્યાખ્યા અસ્પષ્ટ અને અસંબદ્ધ બની ગઈ છે. ટી.વી.માં આવતા કાર્યક્ર્મો જુઓ એટલે આજના જમાનાની તાસીર આપણા ધ્યાનમાં આવે ! એની ભાષા દ્વિઅર્થી અને ગલગલિયાં કરાવે તેવી હોય છે. બિભત્સતા, સેકસ, હિંસા, એડલ્ટથીમ, કૌટંબિક વિખવાદો, ક્ષણજીવી લગ્નસંબંધો, લગ્નેતર સંબંધો વગેરે સઘળા ટી.વી. કાર્યક્રમોમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. આપણાં સંતાનો આ બધું જુએ છે અને અપનાવે છે. એક જમાનો હતો કે જયારે ઘરનો વડીલ વર્ગ બાળકો અને કિશોરોનું દુનિયાની બુરાઈઓથી રક્ષણ કરતો.
બળાત્કાર, ચોરી, લૂંટફાટ, અપહરણ, આત્મહત્યા, બિભત્સ ઘટનાઓ, રાજકીય કૌભાંડો, સામૂહિક હત્યાઓ વગેરેના સમાચારો બાળકોના કાને ભૂલથી પણ પડવા દેવામાં આવતા નહી. બાળકો સુરક્ષિત અને તણાવમુકત મનોવિશ્વમાં જીવતાં. આજે હવે માબાપ પાસે એટલો સમય અને તકેદારી રહ્યા નથી. ટી.વી.ની ચેનલો અને છાપાંઓ નાના અમથા સમાચારોને વાતનું વતેસર કરીને પીરસતાં હોય છે. બાળકો આ બધું જુએ છે. બળાત્કાર, ખૂન, સામૂહિક હત્યાકાંડોના સમાચારોનો અતિરેક બાળમાનસને કેવો આઘાત આપી શકે છે. એની કોઈ ચિંતા કરતું નથી
ટી.વી.ની દ્રશ્ય-શ્રાવ્ય અસર બાળકને પ્રત્યેક દુર્ઘટનાનો સાક્ષી બનાવી દે છે. એને એવું લાગે છે કે જાણે આ સઘળું એની સાથે જ અથવા એની આસપાસ બની ચૂકયું છે અથવા બની રહ્યું છે ! જે ઘટનાઓને એ જુએ છે એનો એ પોતાને શિકાર થતો કલ્પે છે. પરિણામે એ તાણમાં જીવતું થઈ જાય છે એની આપણને પરવા સરખી નથી. સમાચારોનો આટઆટલો અતિરેક ન હોય ! પણ આપણે બધાં આચારસંહિતા ખોઈને જીવીએ છીએ. એની માઠી અસર આજની પેઢીને ભોગવવી પડે છે. આવા સમયમાં અને જગતમાં બાળકો નિર્દોષ શી રીતે રહી શકે ? કેમ કે એમની દુનિયા બદલાઈ ચૂકી છે.
બાળકો જેમને પોતાના આદર્શ બનાવી શકે એવાં પાત્રો જાહેરજીવનમાંથી વિદાય લઈ ચૂકયાં છે
ગાંધીજીએ વિદાય લીધી પછીના લગભગ ત્રણેક દસકા સુધી આપણો દેશ આદર્શ નેતાગીરી, ઉતમ ચારિત્ર્યવાન મહાપુરુષો, લેખકો, સંગીતકારો, ગાયકો, ખેલાડીઓ, શિક્ષકો, જનસેવકો, સેવા અને આદર્શના ભેખધારીઓ અને સંસ્થાઓથી છલકાતો હતો. આજે હવે સમય બદલાયો છે. કોઈપણ ક્ષેત્રમાં નજર માંડીએ તો અનુસરવાનું મન થાય તેવાં પાત્રો જોવા મળતા નથી. મૂલ્યો અને નીતિમતાનું સંપૂર્ણ ધોવાણ થઈ ચૂકયું છે.
દરરોજ એક રાજકીય કૌભાંડ બહાર આવી રહ્યું છે. આપણી નેતાગીરી વામણી બની ગઈ છે. બાળકો અને યુવાનો પોતાનું રોલ મોડેલ બનાવી શકે એવું એકે ચરિત્ર જાહેર જીવનમાં દેખાતું નથી. વિશ્વભરમાં ચારિત્ર્યની આ દરિદ્રતા સર્વવ્યાપક બની ગઈ છે.
જોકે બધું જ સાવ નિરાશાજનક છે એવું પણ નથી. આજે મેડિસિન, વિજ્ઞાન, શિક્ષણ, કોમ્યુનિકેશન, પર્યાવરણ સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ વગેરેમાં થયેલી પ્રગતિએ માનવીના જીવનની ગુણવતાને ઊંચી જરૂર આણી છે. જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે. દરેક પરિવર્તન ક્ષણજીવી નીવડી રહ્યું છે. એક કે બે પેઢી પહેલા જમાનો ધીમી ગતિએ બદલાતો. આજે પરિવર્તનની ગતિ અણધારેલી તેજ બની ગઈ છે. આજની પેઢી માટે હવે એક નવો પડકાર પેદા થયો છે. એણે બદલાતા જતા જમાના સાથે સતત તાલ મેળવીને જીવવાનું છે. એ આ પડકારને પહોંચી પણ વળે છે. આપણે આપણા સમયમાં આવો ઝડપી બદલાવ જોયો નથી. પરિણામે યુવાનોની જીવવાની તરાહને રોજેરોજ બદલાતી જોઈને આપણે અસલામતી અને તાણ અનુભવતા થઈ ગયા છીએ.
માબાપનું કર્તવ્ય શું છે ?
આપણે આપણી જાતને બે ઘડી એમની દુનિયામાં મૂકી જોઈએ. તમે જો એમના જેવડા હો અને એમના જેવા સમયમાં જીવી રહ્યા હો તો કેવાં કપડાં પહેરવાનું પસંદ કરશો ? કેવા ટી.વી. કાર્યક્રમ જોશો ? કેવું સંગીત સાંભળશો ? કેવા તાલે નાચશો ? કેવી પ્રવૃતિઓમાં ભાગ લેશો ? તમારો ફાજલ સમય શી રીતે પસાર કરશો ? આ પ્રશ્નનોના ઉતર આપણને આપણા તરુણ વયનાં સંતાનોના વર્તન વ્યવહાર સમજવામાં સહાયકારી થઈ શકે છે. એમની ટીકા કરતા પહેલાં આપણે એમના ભાવવિશ્વની કલ્પના કરવી જોઈએ અને એમની જગ્યાએ આપણી જાતને ગોઠવી જોવી જોઈએ.
હકારાત્મક વલણ અપનાવીએ
જૂની પેઢીના લોકોને નવી દુનિયાના ફેરફારોને અપનાવવામાં તકલીફ પડતી હોય છે. એમને એમ જ લાગે છે કે સમય વીતે છે એમ દુનિયા બગડતી જાય છે અને એમનો જૂનો સમય અત્યારના સમય કરતાં વધારે સારો હતો. એમને મન સેલફોન, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાવ નકામાં છે. એ સી.ડી પ્લેયરને અપનાવી શકતા નથી. એમને મન જૂનું એટલું સોનું લાગે છે. પણ આ વલણ બરાબર નથી. પરિવર્તનને સ્વીકારીએ એમાં જ આપણું વડપણ છે. નવી ચીજો અને નવાં મૂલ્યોને અપનાવવાની આનાકાની કરવાથી આપણે બે પેઢી વચ્ચેનું અંતર વધારી મૂકીએ છીએ. આમ કરવાથી આપણે જૂનવાણીમાં ખપી જઈએ છીએ, આપણાં યુવાન સંતાનોના હ્યદયથી નાતો તોડી બેસીએ છીએ. આપણે આજના સમયના સંગીતને વખાણીએ ભલે નહીં, પણ એને માણીએ જરૂર.
આપણે એમની સાથે બેસીને મોબાઈલ અને ટેબલેટની ખૂબીને માણવી જોઈએ. આપણે નવાં ચલચિત્રોની ટેકનોલોજીની કમાલ જોવી જોઈએ. જિંદગીની ધારા કદી અટકતી નથી, તેમ જમાનો એક જગ્યાએ સ્થગિત રહી શકતો નથી. જે વ્યકિત જિંદગીની પ્રવાહિતાને સ્વીકારે છે એ ફેરફારોને આસાનીથી અપનાવી લે છે.
ભૂતકાળમાં રાચવાનું છોડીએ
આપણે વર્તમાનમાં જીવવું જોઈએ. સમયની ઘડિયાળના કાંટાને ફેરવીને જૂના વખતને, તે ગમે તેટલો ઉતમ હોય તો પણ પાછો લાવી શકાતો નથી. ખરેખર તટસ્થ દ્રષ્ટિથી મૂલ્યાંકન કરીએ તો સિતેર અને એંસીના દાયકા કરતાં આપણે અત્યારે વધારે સારા સમયમાં જીવી રહ્યા છીએ. 'હું તારી ઉંમરનો હતો ત્યારે…' આ વિધાનનો તકિયા કલમ તરીકે વારંવાર ઉપયોગ કરવો નકામો છે. આ વાકય એમના મતે અર્થ વગરનું છે, કેમ કે વાસ્તવમાં આપણે કદી એમની ઉંમરના હતા જ નહીં. આપણાં સંતાનોને જીવવું પડે છે એવા કપરા સમયમાં આપણે કદી જીવ્યા નથી, કે જીવી શકીએ પણ નહીં. સંજોગો અને વસ્તુસ્થિતિ સતત બદલાતા રહ્યા છે. દરેક પેઢી એના પોતાના સમયનો પડકાર ઝીલતી જ હોય છે. એને પહેલાંનો સમય કે એની ખાસિયતો યાદ કરાવવાથી ભૂતકાળની મહતા સ્થાપી શકાતી નથી. જો પડકાર ફેંકવામાં આવે તો આપણી પેઢી આજના નવા યુગના પરિવર્તનનો અને પડકરોનો સામનો કરવામાં જરૂર નિષ્ફળ જાય !
એમની ટીકા કરવાનું વલણ છોડીએ
ખાસ કરીને જે બાબતો પર આપણાં સંતાનોનું કોઈ નિયંત્રણ કે બંધારણ ચાલતું નથી તે બાબતમાં એમની ટીકા કરવાની કુટેવથી આપણે વેળાસર છુટકારો મેળવવો જોઈએ. એમનો સમય બદલાય ગયો છે અને આપણા સમય કરતાં જુદો જ છે એ બાબતમાં એ લોકો શું કરી શકે ? 'તમારાં કપડાંમાં કંઈ ભલીવાર નથી. આવાં કપડાં તે કંઈ પહેરાય ? ફેશનના નામે તમારી પેઢી સાવ દાટ વાળવા બેઠી છે. તમારું સંગીત સાવ ઢંગધડા વગરનું છે; એ સાંભળીને તો મારા કાન જ પાકી જાય છે ! ટી.વી.માં ટીનેજરોના કાર્યક્ર્મોમાં કોલેજોનું જે વાતાવરણ બતાવે છે એ જોઈને તો એમ થાય કે તમે લોકો ભણવા જાવ છો કે પછી પ્રેમલા-પ્રેમલી કરવા ? અમારા વખતમાં આવું બધું ચાલતું નહી.' આવી આવી કાગારોળનો કંઈ જ અર્થ સરતો નથી.
આજની દુનિયા કંઈ એમણે પોતાની પસંદગીથી બનાવેલી નથી. એમને એ એમની અનિચ્છાએ વારસામાં મળેલી છે. શકયતા એ છે કે જો આપણે આજે એમની ઉંમરના હોત તો આપણે પણ આવાં જ ઢંગધડા વગરનાં કપડાં પહેરતા હોત, આવી જ ફેશનો કરતા હોત, આવાં જ ગીતો સાંભળતા હોત, ને આવા જ નખરા કરતા હોત !
પરિવર્તનનો સ્વીકાર કરીએ
નવા સમયની માંગ એ છે કે જે કામ આપણા માતાપિતાએ આપણી બાબતમાં નહીં કરેલું તે આપણે આપણાં સંતાનો બાબતમાં કરવાની જરૂર છે. આપણા માબાપ આપણી સાથે ચર્ચા-વિચારણા કદી કરતા નહીં. આપણને માત્ર એમની આજ્ઞાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવતો. આજની પેઢી સાથે આ વલણ કામ આવી શકે નહીં. અત્યારના માહિતીપ્રચૂર અને વિપુલતાના સમયમાં આપણે એમની સાથે પુષ્કળ સંવાદ કરવો જોઈએ. ખાસ કરીને જાતીયતાના મુદ્દા બાબતમાં આપણે આપણો સંકોચ છોડીને એમની સાથે મુકત ચર્ચા કરવી જોઈએ.
દરેક બાબતમાં નૈતિકતાને વચ્ચે લાવવાની આપણી પરંપરાગત આદતને આપણે હવે છોડવાની જરૂર છે. નવી પેઢી મૂલ્યો અને નૈતિકતાના ખ્યાલોને સદંતર બદલી ચૂકી છે. આપણે એમની સાથે એ બાબતમાં તાલ મેળવવાની આવશ્કયતા છે. આપણને આપણા માતાપિતાનો અલાયદો સમય મળ્યો હોય એવું યાદ નથી. એ સમયમાં દરેક બાળક સંયુકત કુટુંબમાં પડતું-આખડતું મોટું થઈ જતું. આજે બાળઉછેર સમય અને શકિત માગી લેતી જવાબદારી છે.
માબાપ બાળકને દરરોજ નિયમિત રીતે ગુણવતાનો સમય ફાળવે એ અપેક્ષિત છે. પહેલાંના સમયમાં બાળકોના અલગ અસ્તિત્વનો સ્વીકાર થતો નહી, કે એમને કુટુંબમાં આદર મળતો નહીં. આજે સમય બદલાયો છે. હવે બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થવા લાગ્યો છે. આ સંજોગોમાં માબાપની જવાબદારી અને તેમનું કર્તવ્ય વધારે સભાનતા માગી લે છે.
સમાજ જીવનમાં આવી રહેલા ફેરફારોથી આપણે ચિંતિત થવાની જરૂર નથી. આ ફેરફારોથી આપણા માટે ભય અને અસલામતી પેદા કરે છે, તેમ નવી તકો પણ ઊભી કરે છે. સમયની સાથે આપણે તાલ મેળવીને ચાલવું જોઈએ. આજે માબાપ એમનાં સંતાનો પ્રત્યે પ્રેમની અને સ્વીકારની લાગણી મુકત રીતે વ્યકત કરી શકે છે. માબાપ અને બાળકો એકમેકની વધારે નજીક આવ્યાં છે.
આપણાં તરુણ સંતાનોનો સમય બદલાયો છે એની આપણે નોંધ લઈએ !

Thursday, February 6, 2014

Refined Oil

आज से 50 साल पहले तो कोई रिफाइन तेल के बारे में जानता नहीं था, ये पिछले 20 -25 वर्षों से हमारे देश में आया है | कुछ विदेशी कंपनियों और भारतीय कंपनियाँ इस धंधे में लगी हुई हैं | इन्होने चक्कर चलाया और टेलीविजन के माध्यम से जम कर प्रचार किया लेकिन लोगों ने माना नहीं इनकी बात को, तब इन्होने डोक्टरों के माध्यम से कहलवाना शुरू किया | डोक्टरों ने अपने प्रेस्क्रिप्सन में रिफाइन तेल लिखना शुरू किया कि तेल खाना तो सफोला का खाना या सनफ्लावर का खाना, ये नहीं कहते कि तेल, सरसों का खाओ या मूंगफली का खाओ, अब क्यों, आप सब समझदार हैं समझ सकते हैं |

ये रिफाइन तेल बनता कैसे हैं ? मैंने देखा है और आप भी कभी देख लें तो बात समझ जायेंगे | किसी भी तेल को रिफाइन करने में 6 से 7 केमिकल का प्रयोग किया जाता है और डबल रिफाइन करने में ये संख्या 12 -13 हो जाती है | ये सब केमिकल मनुष्य के द्वारा बनाये हुए हैं प्रयोगशाला में, भगवान का बनाया हुआ एक भी केमिकल इस्तेमाल नहीं होता, भगवान का बनाया मतलब प्रकृति का दिया हुआ जिसे हम ओरगेनिक कहते हैं | तेल को साफ़ करने के लिए जितने केमिकल इस्तेमाल किये जाते हैं सब Inorganic हैं और Inorganic केमिकल ही दुनिया में जहर बनाते हैं और उनका combination जहर के तरफ ही ले जाता है | इसलिए रिफाइन तेल, डबल रिफाइन तेल गलती से भी न खाएं | फिर आप कहेंगे कि, क्या खाएं ? तो आप शुद्ध तेल खाइए, सरसों का, मूंगफली का, तीसी का, या नारियल का | अब आप कहेंगे कि शुद्ध तेल में बास बहुत आती है और दूसरा कि शुद्ध तेल बहुत चिपचिपा होता है | हमलोगों ने जब शुद्ध तेल पर काम किया या एक तरह से कहे कि रिसर्च किया तो हमें पता चला कि तेल का चिपचिपापन उसका सबसे महत्वपूर्ण घटक है | तेल में से जैसे ही चिपचिपापन निकाला जाता है तो पता चला कि ये तो तेल ही नहीं रहा, फिर हमने देखा कि तेल में जो बास आ रही है वो उसका प्रोटीन कंटेंट है, शुद्ध तेल में प्रोटीन बहुत है, दालों में ईश्वर का दिया हुआ प्रोटीन सबसे ज्यादा है, दालों के बाद जो सबसे ज्यादा प्रोटीन है वो तेलों में ही है, तो तेलों में जो बास आप पाते हैं वो उसका Organic content है प्रोटीन के लिए | 4 -5 तरह के प्रोटीन हैं सभी तेलों में, आप जैसे ही तेल की बास निकालेंगे उसका प्रोटीन वाला घटक गायब हो जाता है और चिपचिपापन निकाल दिया तो उसका Fatty Acid गायब | अब ये दोनों ही चीजें निकल गयी तो वो तेल नहीं पानी है, जहर मिला हुआ पानी | और ऐसे रिफाइन तेल के खाने से कई प्रकार की बीमारियाँ होती हैं, घुटने दुखना, कमर दुखना, हड्डियों में दर्द, ये तो छोटी बीमारियाँ हैं, सबसे खतरनाक बीमारी है, हृदयघात (Heart Attack), पैरालिसिस, ब्रेन का डैमेज हो जाना, आदि, आदि | जिन-जिन घरों में पुरे मनोयोग से रिफाइन तेल खाया जाता है उन्ही घरों में ये समस्या आप पाएंगे, अभी तो मैंने देखा है कि जिनके यहाँ रिफाइन तेल इस्तेमाल हो रहा है उन्ही के यहाँ Heart Blockage और Heart Attack की समस्याएं हो रही है |

जब हमने सफोला का तेल लेबोरेटरी में टेस्ट किया, सूरजमुखी का तेल, अलग-अलग ब्रांड का टेस्ट किया तो AIIMS के भी कई डोक्टरों की रूचि इसमें पैदा हुई तो उन्होंने भी इसपर काम किया और उन डोक्टरों ने जो कुछ भी बताया उसको मैं एक लाइन में बताता हूँ क्योंकि वो रिपोर्ट काफी मोटी है और सब का जिक्र करना मुश्किल है, उन्होंने कहा "तेल में से जैसे ही आप चिपचिपापन निकालेंगे, बास को निकालेंगे तो वो तेल ही नहीं रहता, तेल के सारे महत्वपूर्ण घटक निकल जाते हैं और डबल रिफाइन में कुछ भी नहीं रहता, वो छूँछ बच जाता है, और उसी को हम खा रहे हैं तो तेल के माध्यम से जो कुछ पौष्टिकता हमें मिलनी चाहिए वो मिल नहीं रहा है |" आप बोलेंगे कि तेल के माध्यम से हमें क्या मिल रहा ? मैं बता दूँ कि हमको शुद्ध तेल से मिलता है HDL (High Density Lipoprotein), ये तेलों से ही आता है हमारे शरीर में, वैसे तो ये लीवर में बनता है लेकिन शुद्ध तेल खाएं तब | तो आप शुद्ध तेल खाएं तो आपका HDL अच्छा रहेगा और जीवन भर ह्रदय रोगों की सम्भावना से आप दूर रहेंगे |

अभी भारत के बाजार में सबसे ज्यादा विदेशी तेल बिक रहा है | मलेशिया नामक एक छोटा सा देश है हमारे पड़ोस में, वहां का एक तेल है जिसे पामोलिन तेल कहा जाता है, हम उसे पाम तेल के नाम से जानते हैं, वो अभी भारत के बाजार में सबसे ज्यादा बिक रहा है, एक-दो टन नहीं, लाखो-करोड़ों टन भारत आ रहा है और अन्य तेलों में मिलावट कर के भारत के बाजार में बेचा जा रहा है | 7 -8 वर्ष पहले भारत में ऐसा कानून था कि पाम तेल किसी दुसरे तेल में मिला के नहीं बेचा जा सकता था लेकिन GATT समझौता और WTO के दबाव में अब कानून ऐसा है कि पाम तेल किसी भी तेल में मिला के बेचा जा सकता है | भारत के बाजार से आप किसी भी नाम का डब्बा बंद तेल ले आइये, रिफाइन तेल और डबल रिफाइन तेल के नाम से जो भी तेल बाजार में मिल रहा है वो पामोलिन तेल है | और जो पाम तेल खायेगा, मैं स्टाम्प पेपर पर लिख कर देने को तैयार हूँ कि वो ह्रदय सम्बन्धी बिमारियों से मरेगा | क्योंकि पाम तेल के बारे में सारी दुनिया के रिसर्च बताते हैं कि पाम तेल में सबसे ज्यादा ट्रांस-फैट है और ट्रांस-फैट वो फैट हैं जो शरीर में कभी dissolve नहीं होते हैं, किसी भी तापमान पर dissolve नहीं होते और ट्रांस फैट जब शरीर में dissolve नहीं होता है तो वो बढ़ता जाता है और तभी हृदयघात होता है, ब्रेन हैमरेज होता है और आदमी पैरालिसिस का शिकार होता है, डाईबिटिज होता है, ब्लड प्रेशर की शिकायत होती है |

Monday, February 3, 2014

Bribe - Sales Tax Officer Caught

In Jamnagar, a sales tax official was caught by the Anti-Corruption Bureau (ACB)

A sales tax official was caught red-handed while accepting bribe of Rs 15,000 today.

B P Parmar was a Class I officer (Sales Tax Assistant Commissioner) in Jamnagar

Jamnagar police received complaints against Parmar.
ACB sources claimed that they laid a trap based on a complaint to nab Parmar who had sought money to return official favor.

Parmar was immediately taken into custody.

મમ્મી - આઇ લવ યુ

5 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : ઓહ માય ડીયર સન , આઇ લવ યુ ટુ

15 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : ચલ બોલ કેટલા રુપિયા જોઇએ છે ?

25 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ.
મમ્મી : ઓહો શુ વાત છે ! કોણ છે એ છોકરી ?

35 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : મે તો તને લગ્ન વખતે જ કહ્યુ હતુ કે એ ચુડેલને ઘરમાં લાવવા જેવી નથી

45 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : બીલકુલ મુંઝાયા વગર બોલ ક્યાં ડોક્યુમેન્ટમા સહી કરવાની છે મારે

55 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ.
મમ્મી : ચિંતા ના કર હું તારા પપ્પાને સમજાવીશ મકાન તારા નામ પર કરી દેશે.

આ દુનિયામાં "માં" જ બધી જ પરિસ્થિતીમાં પોતાના દિકરાને સૌથી સારી રીતે સમજી શકે છે.

બસ....આટલા માટે જ બાકી બધા વગડાના વા.....આવે ને જાય....પણ "માં" જ છેલ્લે સુધી સાથ આપે...એટલે જ... મમ્મી આઇ લવ યુ....!

Saturday, February 1, 2014

જગ્ગન્નાથ પૂરી - થોડીક વાતો

જગ્ગન્નાથ પૂરી માં એવી ઘણી વાતો છે જેને જવાબો હજુ વિજ્ઞાન પાસે નથી. આજે એવી જ થોડીક વાતો થી આપને અવગત કરાવ્યે..
૧) પૂરી માં મુખ્ય ધજા હમેશા પવન થી વિરુદ્ધ દિશા માં જ ફરકે છે

૨) મુખ્ય મંદિર પર રાખેલું સુદર્સન ચક્ર, શહેર માંથી ગમે ત્યાતી જોતા આપની સામે હોઈ એવું જ લાગશે
૩) સામાન્ય રીતે દિવસે પવન સમુદ્ર થી ધરતી ઉપર અને રાત્રે જમીન થી સમુદ્ર તરફ જાય છે, પણ પૂરી માં એનાથી વિરુદ્ધ જ થાય છે
૪) સિંહ દ્વાર થી પ્રવેશ કરતા, છેલ્લા પગથીયા સુધી સમુદ્ર ના મોજા વગરે નો અવાજ સાંભળી શકાય છે, પણ પછી માત્ર એક જ ડગલું ચાલી મંદિર ની અંદર પ્રવેશતા જ કોઈ અવાજ સાંભળી શકતો નથી, ખાસ કરી ને સાંજે આ ઘટના સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે
૫) મંદિર માં આખો વરસ પ્રસાદ ની એક સમાન માત્રા જ બનાવાય છે અને માણસો ભલે પચાસ હજાર આવે કે પચાસ લાખ, પ્રસાદ કડી વધતો નથી કે કાઢી ઘટતો નથી
૬) પ્રસાદ બનવા ની વિધિ પણ ચમત્કારિક છે, એક ઉપર એક એમ સાથ વાસણ મૂકી, લાકડા ના ચુલા ઉપર પ્રસાદ બનાવાય છે, સામાન્ય રીતે નીચે નું વાસણ પહેલા ગરમ થાય અને સૌથી ઉપર નું વાસણ સૌથી છેલ્લે, પણ પૂરી ના બધા જ પ્રસાદ ના વાસણ એક સાથે જ ગરમ થાય છે
૭) મંદિર ને ઉપર થી કોઈ જ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી
૮) મંદિર ના મુખ્ય કળશ નો પડછાયો દિવસ ના કોઈ પણ સમયે જોઈ શકતો નથી .....


Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...